Skip to main content

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની 'ઘેરૈયા' પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ


Navratri 2025, Surat : એક તરફ જ્યાં સુરત મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, અને યુવાનો દોઢિયા-પોપટિયા જેવા આધુનિક ગરબામાં મશગૂલ છે, ત્યારે બીજી તરફ આદિવાસી સમાજની 200 વર્ષ કરતાં પણ વધુ જૂની પરંપરા, 'ઘેરૈયા રાસ' આજે પણ જીવંત છે. આધુનિક નવરાત્રિના માહોલ વચ્ચે પણ સુરતના કોટ વિસ્તાર અને આસપાસના ગામોમાં ઘેરૈયાઓનો રાસ જોવા મળી રહ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આજના આધુનિક યુગમાં પણ સુરતીઓ આ પરંપરાગત ઘેરૈયાને શુકનિયાળ માની સન્માન સાથે પોતાના ઘરે ગરબા ગવડાવે છે.

આદિવાસી સમાજની 200 વર્ષ જૂની પરંપરા 'ઘેરૈયા રાસ'

નવરાત્રિનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે અને લોકો જુદી જુદી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે.

Comments

Popular posts from this blog

સ્કૂલની બાજુમાં વીજ કંપનીના પોલ પર ધડાકા સાથે આગ, તણખા રોડ પર પડતા રહયા

- વરસાદ-ભેજને લીધે ઘટના બન્યાનું વીજ કંપનીનું અનુમાન ! સુરત, તા. 18 જૂન 2019, મંગળવાર તક્ષશીલા આર્કેડની દુર્ઘટનામાં વીજ કંપનીની લાપરવાહીના આક્ષેપો થઇ રહયા છે ત્યારે વીજ કંપનીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.  પુણા ગામ પાસે એલ.પી.ડી. સ્કૂલ કોમ્પ્લેક્સની બહાર જ વીજ કંપનીના થાંભલા પર તણખા ઝરવા સાથે ધડાકા સાથે આગ લાગતા ગભરાઇ ફેલાઇ ગયો હતો.  પુના ગામ ખાતે વીજ કંપનીના થાંભલા પર વરસાદી મોસમ માં આગ ફાટી નીકળી હતી. પોલ પર ધડાકા થયા હતા, ધુમાડા નીકળ્યા હતા અને કેટલીય મિનિટો સુધી તણખા ઝરીને રોડ ઉપર પડતા રહયા હતા. બાજુ માં જ શાળા આવી હતી. સદ્ભાગ્યે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સર્વિસ કેબલનું સમારકામ શરૂ કરાયું હતું. જોકે, આ ઘટનામાં પણ વીજ કંપનીએ એવો ખુલાસો કર્યો હતો કે, ભારે પવન, વરસાદ અને ભેજને લીધે શોટ સર્કિટ થયાનું અનુમાન છે. પરંતુ સ્થાનિક લોકોમાં ઘટનાને પગલે ભારે આક્રોશ છે. વરસાદી સિઝન હજુ સંપુર્ણ શરૂ થઇ નથી ત્યારે વીજ પોલ પર આ રીતે ધડાકા સાથે આગની ઘટનાની લોકોમાં ગભરાટ છે. જ્યાં ઘટના બન...

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત

Surat News : સુરતમાં અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટના 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બિલ્ડીંગમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના 50 મીટર દુર જ માતા-પુત્ર પટકાતા થોડીવાર માટે બિલ્ડીંગમાં દોડદામ મચી હતી. ઘટનાને પગલે રહીશોમાં શોકનો માહોલ છવાયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષકુમાર પટેલ અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડીંગમાં એક વીંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે. પરિવારમાં 30 વર્ષી પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર ક્રિશિવ હતો. source https://www.gujaratsamachar.com/news/gujarat/mother-and-her-two-year-old-son-mysteriously-fell-from-the-13th-floor-in-surats-althan-both-died

સુરત સહિત ગુજરાત 11000 કોરોના વોરિયર નર્સિંગ સ્ટાફને 13000 બોટલ સેનિટાઈઝર દાન કર્યું

સુરત, તા. 30 મે 2020 શનિવાર ગુજરાતમાં કોરોના વાઈરસ વકરી રહ્યો હોવાથી કેસમાં સતત વધારો થયો છે. આવા સંજોગોમાં કોરોના યોદ્ધોને કોરોના ચેપ નહીં લાગે તે માટે સાંસદે ગુજરાતની 11000 નર્સિંગ સ્ટાફ માટે 13000 બોટલ સેનિટાઈઝર નર્સિંગ એસોસિએશનને આપવામાં આવી છે. ગુજરાતમા કોરોના પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે જેથી કોરોના કેસ અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. આવા સમયે ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ કોરોના યોદ્ધા પોતાના જીવને જોખમમાં મુકીને લડી રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલ, મ્યુનિ.હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની સરકારી હોસ્પિટલની 11000 નર્સિંગ સ્ટાફ છે. નર્સિંગ કોરોના યોદ્ધાને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સાંસદ દ્વારા 13000 હેન્ડ - સેનીટાઈઝર નર્સિંગ એસોસિએશને આપવામાં આવ્યા હતા.  જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની 625 અને પાલિકાની 550 વધુ નર્સિંગ સ્ટાફને હેન્ડ - સેનીટાઈઝર આપવામાં આવ્યું હતું. આથી અમદાવાદ સિવિલ અને પાલિકાની હોસ્પિટલમાં વધુ 2000 સેનિટાઈઝર આપ્યા હતા. આ પ્રસંગે મેયર દ્વારા સુરતમાં કોરોનાની મહામારીમાં સેવાભાવથી કામગીરી કરતા અજય રાયકાનું મેયરશ્રી ના હ...