Surat News: સુરતના માંગરોળ વિસ્તારમાં ગુનાઈત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસે આજે મોટું પગલું ભર્યું છે. વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની 15 જેટલી ગેરકાયદે મિલકતો પર રવિવારે (પાંચમી ઓક્ટોબર) પોલીસે જેસીબી ફેરવી દીધુ હતું.
પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન
આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા પોતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, માંગરોળ અને માંડવીના મામલતદાર અને પ્રાંત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Comments
Post a Comment