Skip to main content

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ


Surat News : સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.  

વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.

Comments

Popular posts from this blog

સ્કૂલની બાજુમાં વીજ કંપનીના પોલ પર ધડાકા સાથે આગ, તણખા રોડ પર પડતા રહયા

- વરસાદ-ભેજને લીધે ઘટના બન્યાનું વીજ કંપનીનું અનુમાન ! સુરત, તા. 18 જૂન 2019, મંગળવાર તક્ષશીલા આર્કેડની દુર્ઘટનામાં વીજ કંપનીની લાપરવાહીના આક્ષેપો થઇ રહયા છે ત્યારે વીજ કંપનીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.  પુણા ગામ પાસે એલ.પી.ડી. સ્કૂલ કોમ્પ્લેક્સની બહાર જ વીજ કંપનીના થાંભલા પર તણખા ઝરવા સાથે ધડાકા સાથે આગ લાગતા ગભરાઇ ફેલાઇ ગયો હતો.  પુના ગામ ખાતે વીજ કંપનીના થાંભલા પર વરસાદી મોસમ માં આગ ફાટી નીકળી હતી. પોલ પર ધડાકા થયા હતા, ધુમાડા નીકળ્યા હતા અને કેટલીય મિનિટો સુધી તણખા ઝરીને રોડ ઉપર પડતા રહયા હતા. બાજુ માં જ શાળા આવી હતી. સદ્ભાગ્યે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સર્વિસ કેબલનું સમારકામ શરૂ કરાયું હતું. જોકે, આ ઘટનામાં પણ વીજ કંપનીએ એવો ખુલાસો કર્યો હતો કે, ભારે પવન, વરસાદ અને ભેજને લીધે શોટ સર્કિટ થયાનું અનુમાન છે. પરંતુ સ્થાનિક લોકોમાં ઘટનાને પગલે ભારે આક્રોશ છે. વરસાદી સિઝન હજુ સંપુર્ણ શરૂ થઇ નથી ત્યારે વીજ પોલ પર આ રીતે ધડાકા સાથે આગની ઘટનાની લોકોમાં ગભરાટ છે. જ્યાં ઘટના બન...

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત

Surat News : સુરતમાં અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટના 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બિલ્ડીંગમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના 50 મીટર દુર જ માતા-પુત્ર પટકાતા થોડીવાર માટે બિલ્ડીંગમાં દોડદામ મચી હતી. ઘટનાને પગલે રહીશોમાં શોકનો માહોલ છવાયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષકુમાર પટેલ અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડીંગમાં એક વીંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે. પરિવારમાં 30 વર્ષી પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર ક્રિશિવ હતો. source https://www.gujaratsamachar.com/news/gujarat/mother-and-her-two-year-old-son-mysteriously-fell-from-the-13th-floor-in-surats-althan-both-died

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે

સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના એક કોર્પોરેટરે મોદી ભક્તિ સાથે નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહે તેવી વાત કરી હતી અને મોદી રાજમાં જ ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તેવી વાત કરી હતી.  પાલિકાના હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષા આહીરે પાલિકાની સામાન્ય સભામાં દિવાળીમાં હોસ્પિટલની સેવાની વાત સાથે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય સારુ રહે અને દીર્ઘાયુ સાથે તેમની ઉંમર 108 વર્ષના થાય અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહે અને તેમની હયાતીમાં જ ભારતના હિન્દુ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરીએ તેવી પણ પ્રાર્થના કરીએ. તો બીજી તરફ વિપક્ષ મહિલા કોર્પોરેટરે કહ્યું કે આપણે રામ મંદિરની વાત કરીએ છીએ અને બીજી તરફ વરાછા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની આસપાસ નોનવેજની દુકાનો માટે પાલિકા જ લાયસન્સ ઈસ્યુ કરે છે તે સમસ્યાનો કાયમી હલ લાવીને મંદિરની આસપાસ નોનવેજનું વેચાણ ન થાય તેવી કામગીરી કરવા માગણી કરી હતી.