Skip to main content

Posts

સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક

Surat News:  સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલના આકસ્મિક અવસાનથી સમગ્ર પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો છે. રવિવારે બપોરે ઘરેથી જમીને પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારબાદ તેમને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી રવિવારે બપોરે પોતાની નોકરી પરથી ઘરે જમવા માટે ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને પરત ફર્યા ત્યારે અચાનક તેમની છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેના પગલે તેઓ બેભાન થઈ ગયા હતા.

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો

Gujarat Father-Daughter Lost in Nepal: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પિતા અને તેમની પુત્રી નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-3ના ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા હોવાના સમાચારથી પરિવારમાં ચિંતાનો માહોલ છે. 10 દિવસમાં પરત ફરવાની યોજના સાથે ગયેલા આ પિતા-પુત્રીનો બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો છે. ટ્રેકિંગનો પ્રવાસ અને સંપર્ક તૂટ્યો મળતી માહિતી અનુસાર, કડોદના રહેવાસી જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિનીએ 14મી ઓક્ટોબરે કડોદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તે 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા, 17મી ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા હતી.

છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT

Gujarat Cyber Crime: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ)ના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના કામરેજમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે છેલ્લા ચાર મહિનામાં ₹10 કરોડથી વધુની છેતરપિંડીની રકમને ક્રિપ્ટોકરન્સી USDT મારફતે પાકિસ્તાન મોકલી હતી. કૌભાંડનું પાકિસ્તાન અને ચીન કનેક્શન સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, રાજ્યના કેટલાક શખસો કમ્બોડિયા અને મ્યાંનમારમાં સક્રિય ચાઈનીઝ ગેંગ સાથે મળીને આ કૌભાંડ આચરી રહ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોની બેન્કોમાં છેતરપિંડીથી જમા થતી રકમને આ એજન્ટો રોકડમાં ઉપાડીને અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પાકિસ્તાન અને દુબઈ સ્થિત એજન્ટોને મોકલતા હતા.

સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું !

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલ હેલ્થ સેન્ટરમાં એક્સરે મશીન હોવા છતાં દર્દીઓને ઉપયોગમાં ન આવતી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. ખાલી કહે એક્સરે મશીન ખરીદી લીધું છે, અને ટેકિનિશિયનની નિમણૂક કરી દીધી છે પરંતુ હજી મશીન શરૂ ન થતા દર્દીઓને હાલાકી પડી રહી છે. સુરતના લોકોને ઘર આંગણે સારવાર મળી રહે તે માટે પાલિકાના દરેક વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. જેનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે અને દિવસેને દિવસે દર્દીઓની સંખ્યા વધતી રહે છે. 

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, ઘટનાની તપાસ શરૂ

Surat News : સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.   વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.

રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર બાદ મોત

Surat News : સુરતમાં 5 કૂતરાઓ પાછળ પડતાં એક યુવક જીવ બચાવવા ભાગ્યો હતો. તેવામાં યુવક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને બ્રેઈન હેમરેજ થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

Popular posts from this blog

સ્કૂલની બાજુમાં વીજ કંપનીના પોલ પર ધડાકા સાથે આગ, તણખા રોડ પર પડતા રહયા

- વરસાદ-ભેજને લીધે ઘટના બન્યાનું વીજ કંપનીનું અનુમાન ! સુરત, તા. 18 જૂન 2019, મંગળવાર તક્ષશીલા આર્કેડની દુર્ઘટનામાં વીજ કંપનીની લાપરવાહીના આક્ષેપો થઇ રહયા છે ત્યારે વીજ કંપનીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.  પુણા ગામ પાસે એલ.પી.ડી. સ્કૂલ કોમ્પ્લેક્સની બહાર જ વીજ કંપનીના થાંભલા પર તણખા ઝરવા સાથે ધડાકા સાથે આગ લાગતા ગભરાઇ ફેલાઇ ગયો હતો.  પુના ગામ ખાતે વીજ કંપનીના થાંભલા પર વરસાદી મોસમ માં આગ ફાટી નીકળી હતી. પોલ પર ધડાકા થયા હતા, ધુમાડા નીકળ્યા હતા અને કેટલીય મિનિટો સુધી તણખા ઝરીને રોડ ઉપર પડતા રહયા હતા. બાજુ માં જ શાળા આવી હતી. સદ્ભાગ્યે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સર્વિસ કેબલનું સમારકામ શરૂ કરાયું હતું. જોકે, આ ઘટનામાં પણ વીજ કંપનીએ એવો ખુલાસો કર્યો હતો કે, ભારે પવન, વરસાદ અને ભેજને લીધે શોટ સર્કિટ થયાનું અનુમાન છે. પરંતુ સ્થાનિક લોકોમાં ઘટનાને પગલે ભારે આક્રોશ છે. વરસાદી સિઝન હજુ સંપુર્ણ શરૂ થઇ નથી ત્યારે વીજ પોલ પર આ રીતે ધડાકા સાથે આગની ઘટનાની લોકોમાં ગભરાટ છે. જ્યાં ઘટના બન...

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત

Surat News : સુરતમાં અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટના 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બિલ્ડીંગમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના 50 મીટર દુર જ માતા-પુત્ર પટકાતા થોડીવાર માટે બિલ્ડીંગમાં દોડદામ મચી હતી. ઘટનાને પગલે રહીશોમાં શોકનો માહોલ છવાયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષકુમાર પટેલ અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડીંગમાં એક વીંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે. પરિવારમાં 30 વર્ષી પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર ક્રિશિવ હતો. source https://www.gujaratsamachar.com/news/gujarat/mother-and-her-two-year-old-son-mysteriously-fell-from-the-13th-floor-in-surats-althan-both-died

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે

સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના એક કોર્પોરેટરે મોદી ભક્તિ સાથે નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહે તેવી વાત કરી હતી અને મોદી રાજમાં જ ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તેવી વાત કરી હતી.  પાલિકાના હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષા આહીરે પાલિકાની સામાન્ય સભામાં દિવાળીમાં હોસ્પિટલની સેવાની વાત સાથે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય સારુ રહે અને દીર્ઘાયુ સાથે તેમની ઉંમર 108 વર્ષના થાય અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહે અને તેમની હયાતીમાં જ ભારતના હિન્દુ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરીએ તેવી પણ પ્રાર્થના કરીએ. તો બીજી તરફ વિપક્ષ મહિલા કોર્પોરેટરે કહ્યું કે આપણે રામ મંદિરની વાત કરીએ છીએ અને બીજી તરફ વરાછા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની આસપાસ નોનવેજની દુકાનો માટે પાલિકા જ લાયસન્સ ઈસ્યુ કરે છે તે સમસ્યાનો કાયમી હલ લાવીને મંદિરની આસપાસ નોનવેજનું વેચાણ ન થાય તેવી કામગીરી કરવા માગણી કરી હતી.